સિધ્ધપુરના એક પરિવાર પર અવકાશી તારાનું નામ અપાયું!
અહો આશ્ચર્યમ્...! પોતાના પરિવારનું પણ નામ યુગો સુધી ચીર સ્મરણીય બનાવવાના ઉદેશ્યથી નોંધણી કરાવેલ છે. _________________________________ સિધ્ધપુરના એક પરિવાર પર અવકાશી તારાનું નામ અપાયું! પાટણ જિલ્લાના સિધ્ધપુરની સનનગર સોસાયટીમાં રહેતા પરિવાર પર અમેરિકા સ્થિત સ્ટાર એજન્સી દ્વારા અવકાશી તારાનું નામાંધિકરણ કરાયું. આ તારાનું નામ "ચેતન દિપીકા કવિતા પૂજા રિધ્ધી વસંત" રાખવામાં આવ્યું છે. અત્રે વાત એવી હતી કે મલ્લિકાર્જુન ચેતનરાજ પાબુવંશી પોતે પણ એક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે. તેમણે કોરાના કાળમાં અલગ-અલગ દેશના કુલ ૧૧ વલ્ડૅ રેકોર્ડ બનાવેલ છે. જેમને મુખ્યમંત્રીથી લઈને કલેકટર એ પણ પ્રશસ્તિપત્ર આપી સન્માન કરેલ છે. મલ્લિકાર્જુન ચેતનરાજ પાબુવંશી અત્યારે બી.એડ કોલેજના પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. મલ્લિકાર્જુનને વિચાર એમ આવ્યો કે પોતે તો ભારતભરમાં નામના મેળવેલ છે પણ એક પુત્ર તરીકે તેમનું દાયિત્વ સમજીને પોતાના પરિવારનું પણ નામ યુગો સુધી ચીર સ્મરણીય બનાવવાના ઉદેશ્યથી નોંધણી કરાવવાની ઈચ્છા પ્રગટ કરેલ. આ માટે તેમણે યુ.એસ.એ સ્થિત સ્ટાર એજન્સીની વેબસાઇટ પર જઈને સ...


